'પિતાનો પ્રેમ કેવો હોય એ મારાં બાળકોને ખબર નથી'
ભારતીય વિદેશ મંત્રાલયના ડેટા પ્રમાણે છેલ્લાં છ વર્ષમાં ખાડી દેશોમાં કામ કરનારા કામદારોમાંથી 35 હજારથી વધારે કામદારોનાં મોત થયાં છે. જેમાંથી 2000 કામદારો તો દક્ષિણ ભારતના જ છે.
કુવૈત, સાઉદી અરેબિયા, બહેરિન, કતાર, ઓમાન, સંયુક્ત આરબ અમિરાત જેવા ખાડી દેશોમાં ઘણા કુશળ ભારતીયો છે.
ત્યાં ભારતમાંથી ખાડીમાં સ્થળાંતર કરનારા અર્ધ અથવા બિનકુશળ મજૂરોની સંખ્યા ઘણી છે.
ભારતના વિદેશ મંત્રાલય અનુસાર છેલ્લાં છ વર્ષમાં ખાડી દેશોમાં સ્થળાંતર કરનારા 35,748 ભારતીય કામદારોનાં મોત થયાં છે. જેમાંથી 2000 તેલુગુ બોલતા પ્રદેશોમાંથી છે.
ટ્રાવેલ-એજન્ટ દ્વારા થતી છેતરપિંડી, આર્થિક બોજ, કામકાજની કપરી સ્થિતિ એ સ્થળાંતરિત કામદારોના ઊંચા મૃત્યુદરનાં પ્રાથમિક કારણો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો