ઈરાનમાં અમેરિકા-ઇઝરાઇલના હુમલા: મૃત્યુઆંક 787 સુધી પહોંચ્યો – ન્યૂઝ અપડેટ

ઈરાન પર અમેરિકા-ઇઝરાયલનો હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 5 મિનિટ

ઈરાનની 'રેડ ક્રેસેન્ટ સોસાયટી'એ જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 787 લોકોનાં મોત નીપજ્યાં છે.

અમેરિકાસ્થિત સંસ્થા 'હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ ઇન ઈરાન'ના ડેટા અનુસાર, આ હુમલાઓમાં 742 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 176 બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઈરાની સંસદની હેલ્થ કમિશનનાં સભ્ય ફાતેમેહ મોહમ્મદબેગીએ સોમવારે માહિતી આપી હતી કે ઈરાનમાં 9 હૉસ્પિટલોને નિશાન બનાવવામાં આવી છે. તેમણે અમેરિકા અને ઇઝરાઇલ પર 'જાણબૂઝીને' આરોગ્ય કેન્દ્રો પર હુમલો કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

બીજી તરફ, આ આરોપોના જવાબમાં ઇઝરાયેલી સેનાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે "હુમલો હૉસ્પિટલોને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો ન હતો."

ઇઝરાયલે તેહરાન અને બૈરુત પર ફરી હુમલા શરૂ કર્યા

3 માર્ચે બૈરુતના દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયલના હુમલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 3 માર્ચે બૈરુતના દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયલના હુમલા

ઇઝરાયલની સેના અનુસાર ઈરાનની રાજધાની તેહરાન અને લેબનોનની રાજધાની બૈરુતમાં હુમલા કર્યા છે.

સેનાના એક નિવેદન અનુસાર ઇઝરાયલ તેહરાન અને બૈરુતમાં સૈન્ય ઠેકાણાંને એકસાથે નિશાન બનાવીને હુમલા કરી રહ્યું છે.

આઈડીએફે અરબી ભાષાના પ્રવક્તા અવિચે અદ્રઈએ કહ્યું કે, "મોટા પ્રમાણમાં હવાઈહુમલા ચાલી રહ્યા છે."

આ હુમલા એવા સમયે થયા જ્યારે લગભગ એક કલાક પહેલાં આઈડીએફે બૈરુતના દક્ષિણી વિસ્તાર અને કેટલાંક ગામના લોકોને ત્યાંથી નીકળી જવાની ચેતવણી આપી હતી.

આઈડીએફે કહ્યું હતું કે હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર અને હથિયાર ભંડારણ ઠેકાણાંને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ઈરાનના હુમલા બાદ સાઉદીની તેલ રિફાઇનરીને નુકસાનની સૅટેલાઇટ તસવીરો

સાઉદી અરેબિયા, બીબીસી ગુજરાતી, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા

ઇમેજ સ્રોત, Vantor

ડેનિયલ પાલુમ્બો અને શાયાન સરદારીઝાદેહ, બીબીસી વેરિફાઈ

બીબીસી વેરિફાઈ દ્વારા વિશ્લેષણ કરાયેલી નવી સૅટેલાઇટ તસવીરોમાં ડ્રોન હુમલા પછી સાઉદી અરેબિયામાં એક મુખ્ય તેલ રિફાઇનરીમાં નુકસાન જોવા મળ્યું છે.

આજે વેન્ટોર દ્વારા લીધેલી તસવીરોમાં પૂર્વીય શહેર રાસ તનુરામાં સ્થિત એક ઑઇલ રિફાઇનરીના કુલિંગ ટાવર્સની આસપાસ આગના બનાવો જોવા મળ્યા હતા.

આ વિસ્તાર વિવિધ સ્ટોરેજ યુનિટ્સને સાઇટના મધ્ય પિયર સાથે જોડતી પાઇપોની શ્રેણી દ્વારા કબજો કરવામાં આવ્યો છે જે સામાન્ય રીતે એક સાથે ચાર ટૅન્કર ભરી શકે છે. આ સાઇટની ઉત્પાદક ક્ષમતા દરરોજ 550,000 બૅરલ છે.

આ વિસ્તાર પાઇપોના એક લૂપથી ઘેરાયેલો છે, જે વિવિધ સ્ટોરેજ યુનિટ્સને સાઇટના મુખ્ય પિયેર સાથે જોડે છે. સામાન્ય રીતે આ સાઇટ એકસાથે ચાર ટૅન્કરો ભરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સાઇટની ઉત્પાદન ક્ષમતા દરરોજના 5,50,000 બૅરલ છે.

અરામકો ઑઇલ કંપનીએ આજે ​​જણાવ્યું હતું કે, હડતાળને કારણે તેને રિફાઇનરી અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી.

ઈરાન- યુએસ- ઇઝરાયલ યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ઉછાળો

બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઓસમંડ ચિયા , બીબીસી સંવાદદાતા

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સોમવારે ગ્લોબલ એનર્જી જેવાં પરિબળોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તેને લીધે તેલ ઉત્પાદક દેશોમાંથી સપ્લાય ખોરવાઈ જવાની ચિંતાઓ પ્રબળ બની છે.

બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 1.9 ટકા વધીને 79.25 ડૉલર (59.11 પાઉન્ડ) પ્રતિ બૅરલ પર પહોંચ્યો હતો, જ્યારે યુએસ-ટ્રેડેડ તેલની કિંમત લગભગ 1.5 ટકા વધી હતી.

અમેરિકા અને ઇઝરાયલે ગયા અઠવાડિયાના અંતે ઈરાન પર હુમલા શરૂ કર્યા પછી વૈશ્વિક તેલ અને ગૅસના ભાવમાં વધારો થયો છે.

વિશ્વના સૌથી મોટા નિકાસકારોમાંના એક કતાર એનર્જીએ તેની સુવિધાઓ પર "લશ્કરી હુમલા" બાદ ઉત્પાદન બંધ કર્યા પછી સોમવારે કુદરતી ગેસના ભાવમાં વધારો થયો હતો.

રિયાધસ્થિત અમેરિકન રાજદૂતાલય ઉપર હુમલો

રિયાધ, અમેરિકન દૂતાવાસ, ડ્રોન હુમલો, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિયાધસ્થિત અમેરિકન રાજદૂતાવાસની ફાઇલ તસવીર

રિયાધસ્થિત અમેરિકાના રાજદૂતાલય ઉપર બે ડ્રૉનથી હુમલો કરવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.

દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે આ હુમલાને કારણે સામાન્ય આગ લાગી હતી અને ઇમારતને થોડું નુકસાન થયું છે.

સાઉદી અરેબિયા ખાતે અમેરિકન મિશને જેદ્દાહ, રિયાધ અને ધરહાનમાં 'શૅલ્ટર-ઇન નૉટિફિકેશન' બહાર પાડ્યું છે. જે મુજબ, સ્ટાફ ઇમારત છોડીને બહાર નથી જતો અને સુરક્ષિત સ્થાનોમાં આશરો લે છે. આ સિવાય આ વિસ્તારના સૈન્યમથકોનો પ્રવાસ પણ અટકાવ્યો છે.

સોમવારે કુવૈતસ્થિત અમેરિકન રાજદૂતાલય કે તેની પાસેના વિસ્તારમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. એ દૂતાવાસે લોકોને ત્યાં ન આવવા તથા ઘરોમાં સલામત રહેવા માટે તાકીદ કરી હતી.

અમેરિકાની સરકારે મિડલ-ઈસ્ટના આ 12 દેશ છોડી દેવા નાગરિકોને તાકીદ કરી

મધ્ય પૂર્વ એશિયા, 12 દેશ, અમેરિકનોને નીકળી જવા તાકિદ

ઇમેજ સ્રોત, Redazione Telenews/TELENEWS/EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાની સરકારે મધ્યપૂર્વ એશિયાના 12 દેશોમાં રહેતા અથવા મુલાકાતે ગયેલા તેના નાગરિકોને "સલામતીને ગંભીર જોખમ"ને જોતા "તાત્કાલિક નીકળી જવા" માટે કહ્યું છે.

આસિસ્ટન્ટ સ્ટેટ સેક્રેટરી મોરા નામદારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર આ બાર દેશોનાં નામ મૂક્યાં હતાં. જેમાં બહેરીન, ઇજિપ્ત, ઇજરાયલ – ગાઝા – વેસ્ટ બૅન્ક, ઈરાન, ઇરાક, જૉર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, સંયુક્ત આરબ અમિરાત તથા યમનનો સમાવેશ થાય છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ ઍક્સ ઉપર વીડિયો મૂકીને અમેરિકનો માટે અલગ-અલગ સંપર્કસૂત્રો વિશે માહિતી આપી હતી.

વિદેશમાં રહેલા અમેરિકન નાગરિકો 27 X 7 +1-202-501-4444 અને +1-888-407-4747 (અમેરિકા અને કૅનેડામાંથી) કૉલ કરી શકે છે. આ સિવાય નાગરિકોને http://step.state.gov ઉપર નોંધણી કરવા તથા ઍક્સ હેન્ડલ @TravelGov પરથી માહિતી મેળવવા જણાવાયું છે.

ઈરાનનાં અલગ-અલગ શહેરો ઉપર અમેરિકા અને ઇઝરાયલે હવાઈહુમલા કર્યા એ પછી મધ્યપૂર્વ એશિયાના દેશોમાં તણાવ વકરી જવા પામ્યો છે. જવાબમાં ઈરાને વળતી કાર્યવાહી કરી હતી અને મધ્યપૂર્વ એશિયાના અનેક દેશો ઉપર મિસાઇલમારો કર્યો હતો.

'અમેરિકા લાંબી લડાઈ નથી લડવા માંગતું'

જેડી વાન્સ, વર્તમાન યુદ્ધનો હેતુ, ટૂંકુ યુદ્ધ , શા માટે ઈરાન ઉપર હુમલો  કર્યો, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ફૉક્સ ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા વર્ષો સુધી ચાલે એવી લાંબી લડાઈમાં નથી પડવા માંગતું.

સાથે જ કહ્યું હતું કે 'હાલમાં જે ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તેનો એકમાત્ર હેતુ એ છે કે ઈરાન અણુહથિયાર ન બનાવી શકે. એના માટે ઈરાનની સરકારની માનસિકતામાં પરિવર્તન આવે તે જરૂરી છે.'

તેમણે કહ્યું હતું કે 'ઇરાક અને અફઘાનિસ્તાનની જેમ વર્ષો સુધી ચાલે તેવી સમસ્યામાં નથી પડવા માંગતા.'

વાન્સે દાવો કર્યો હતો કે ઈરાનની સરકારનો દાવો છે કે તે નાગરિક હેતુસર અણુકાર્યક્રમ ચલાવી રહી છે, પરંતુ એ માત્ર તેના માટે નથી અને અણુહથિયાર વિકસાવવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન